• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્‍ય પટેલને વધુમાં વધુ કેટલી સજા થઈ શકે?

ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્‍ય પટેલને વધુમાં વધુ કેટલી સજા થઈ શકે?

10:51 AM July 23, 2023 admin Share on WhatsApp



Ahmedabad Iscon Bridge Accident : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે આવીને 9 લોકોને કચડી નાખનાર તથ્‍ય પટેલ પર આખુંય ગુજરાત ફિટકાર વરસાવી રહ્યું છે. અમદાવાદના એસજી હાઈવે પર બેફામ કાર ચલાવી નવ લોકોને મોતને ઘાટ ઉતારી દેનારો ધનવાન પરિવારનો આ નબીરો અને તેનો બાપ બંને હાલ તો જેલના સળીયા ગણી રહ્યા છે, ત્‍યારે હવે સવાલ એ છે કે ગુજરાતના આ સૌથી ભયાનક હિટ એન્‍ડ રન કેસના આરોપીને કોર્ટ કયારે અને કેટલી સજા ફટકારશે?

એક અઠવાડીયામાં થશે ચાર્જશીટ: ગૃહમંત્રી

તથ્‍ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે એસજી હાઈવે ટ્રાફિક પોલીસ સ્‍ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં તેની સામે IPCની કલમ ૩૦૪ હેઠળ ખૂન ના ગણાય તેવો સાપરાધ મનુષ્‍ય વધનો ગુનો પણ દાખલ કરવામાં આવ્‍યો છે, તથ્‍ય વિરૂદ્ધ જે અલગ-અલગ કલમો લગાવાઈ છે તેમાં સૌથી વધુ સજાની જોગવાઈ આ જ ગુનામાં છે. આ કેસની તપાસ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ થવાની છે, અને તેની ચાર્જશીટ પણ એક અઠવાડિયામાં જ દાખલ કરી દેવાશે તેવી જાહેરાત પણ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે.

તથ્યના પિતા પર લોકોને ધમકાવવાનો આરોપ

મહત્વનું છે કે, તથ્‍ય પટેલે અકસ્‍માત કર્યો તેની થોડી વારમાં જ તેના પરિવારજનો ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા, અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે તથ્‍યને ઘેરીને ઉભેલા ટોળા સાથે ઝઘડો કરી તેમજ ધાકધમકી તથ્‍યને ક્રાઈમ સીન પરથી ભગાડી ગયા હતા. તેવામાં પોલીસે તથ્‍યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આ કેસમાં આરોપી બનાવ્‍યા છે. આ ઉપરાંત, તથ્‍ય સાથે કારમાં બીજા ચાર લોકો સવાર હતા તેમને પણ પોલીસ સ્‍ટેશને બોલાવવામાં આવ્‍યા હતા.

tathy patel accident case punishment

તથ્ય પટેલને કેટલી સજા થશે ?

કલમ ૩૦૪ હેઠળ નોંધાયેલો ગુનો જો કોર્ટમાં સાબિત થાય તો તેમાં આરોપીને ૧૦ વર્ષની કેદ સુધીની સજા તેમજ દંડ થઈ શકે છે. આ સિવાય તથ્‍ય સામે જે ગુના નોંધાયા છે તેમાં બેદરકારીથી વાહન ચલાવવા ઉપરાંત કોઈને ફ્રેક્‍ચર જેવી ઈજા પહોંચાડવાના ગુનાનો સમાવેશ થાય છે, જેમાં બે વર્ષથી લઈને છ મહિનાની જેલનો સમાવેશ થાય છે. ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર, તથ્‍ય સામે IPCની કુલ સાત અને મોટર વ્‍હીકલ એક્‍ટની ત્રણ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

વિસ્મય શાહને 15 વર્ષની થઈ હતી સજા

અમદાવાદમાં ૨૦૧૩માં આવી જ એક હિટ એન્‍ડ રનની ઘટના બની હતી, જેમાં વિસ્‍મય શાહ નામના ધનાઢય પરિવારના નબીરાએ જજીસ બંગલો વિસ્‍તારમાં બેફામ BMW કાર દોડાવી રાહુલ અને શિવમ નામના બે યુવકોને હવામાં ફંગોળીને મોતને ઘાટ ઉતાર્યા હતા. તે વખતે પણ વિસ્‍મય સામે ૩૦૪ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને તેને ૧૩ મહિના જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્‍યા હતા. તે કેસમાં વિસ્‍મય શાહને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, તેમજ મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ અપાયો હતો, વિસ્‍મય હાલમાં પણ જેલમાં પોતાની સજા કાપી રહ્યો છે. જોકે, આ દરમિયાન તે અનેકવાર ચર્ચામાં પણ આવ્‍યો હતો, જેલમાંથી તેની પાસેથી મોબાઈલ મળ્‍યો હતો તેમજ અડાલજમાં તે પોતાના દોસ્‍તો અને પત્‍ની સાથે દારૂની મહેફિલ માણતા પણ પકડાયો હતો.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Trending News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us